ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયપ્રમોદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયપ્રમોદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અર્હન્નકમુનિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથછંદ/સ્તવન’ અને ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]