ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયવિજ્ય-૩ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જિતવિજ્યના શિષ્ય. ભૂલથી જ્ઞાનવિજ્યશિષ્ય તરીકે ઓળખાવાયેલા છે. એમણે ૭ ઢાળનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦) રચેલ છે. કૃતિની ર.સં.૧૭૯૩ ભૂલથી દર્શાવાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]