ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના વિરહશૃંગારની પ્રસાદમધુર અભિવ્યક્તિ કરતી ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૮૮; મુ.), ‘ચોવીશી’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, કારતક સુદ ૧૩; મુ.), ૪ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ’ (મુ.), ૯ કડીની ‘સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]