ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસાગર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૯૩થી ઈ.૧૬૬૨)ની પરંપરામાં રત્નસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૮ ઢાળની ‘ચૈત્યવંદન’, ‘ચોવીશી’ તથા ૫ કડીની ‘અધ્યાત્મ-ગીત’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]