ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૩-નીરભેરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરભેરામ-૩/નીરભેરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]