ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારાયણ : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. ‘પુરુષને શિખામણ-સઝાય’ નારાયણ મુનિને નામે તથા ૩૨ કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ’ નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન-મુનિ નારાયણ ભાવ સું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પંક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા પણ કોઈ નારાયણ જણાય છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ૨. બૃકાદોહન : ૮; ૩. ભજનસાગર ૧; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકેટલૉગભાવિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે. , કી.જો.]