ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નેમસાગર : આ નામે ૨૭ ‘કડીનું અજિતનાથ-સ્તવન’, ૧૧ કડીનું ‘ચતુર્વિંશિતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય’, ૧૧ કડીની ‘વિજયસિંહગુરુ-સઝાય’, ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]