ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરત્ન-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યરત્ન-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ‘ગજસાગર-સૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કર્તાએ કેટલાંક ‘કવિત્ત’, ‘નેમિનાથ-રાસ’ અને અંચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]