ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યહર્ષ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યહર્ષ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૮૭/સં.૧૭૪૪, કારતક સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ અને કીર્તિરત્નની પરંપરામાં લલિતકીર્તિના શિષ્ય. તેમના શિષ્ય અભયકુશલે તેમના વિશે રચેલા એક ગીત અનુસાર સિંધુદેશના હાજીખાનપુરમાં અનશન દ્વારા અવસાન. ‘જિનપાલિત જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસો સુદ ૧૦) અને ૧૭ ઢાલની ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]