< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પ્રકાશસિંહ [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા.
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]