ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રીતિવિમલ [ઈ.૧૫૯૩-ઈ.૧૬૧૦ દરમ્યાન હયાત] : તપગચ્છના જૈન સધુ. આનંદવિમલસૂરિની પરંપરમાં જયવિમલના શિષ્ય. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : ‘મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા’ (ર.ઈ.૧૫૯૫), ૯૧૪ કડીનો ‘અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ’ (ર.ઈ.૧૬૦૦; મુ.), ‘દાન શીલતપભાવના-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ’, ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦), ૧૮ કડીની ‘ઈરિયાવહી-સઝાય/ઈર્યાપથિકા-આલોયણ-સઝાય’ (મુ.), ૫૬ કડીનું ‘એકસોવીસ કલ્યાણક-ગર્ભિતજિન-સ્તવન’ (મુ.), કળિયુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય’ (મુ.) ૫ ઢાળ ને ૫૪/૫૭ કડીનું ‘ગોડીપર્શ્વનાથબૃહદ-સ્તવન/પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન/વૃદ્ધ-સ્તવન’ (મુ.), ૬ કડીનો ‘નવકારમંત્રનો છંદ’ (મુ.), ૭ કડીની ‘પચખ્ખાણની સઝાય’ (મુ.), ૧૩ કડીનું ‘પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન’(મુ.) તથા ૧૬ કડીની ‘સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી ‘ગોડીપાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જૈહાપ્રોસ્ટા’માં ભૂલથી વિમલપ્રભને નામે નોંધાયેલ મળે છે. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(ન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]