ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રીતિવિજય-૪ [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’ (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન’, ૧૨ કડીની ‘યશોદાવિલાપ-સઝાય’ (મુ.) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૨;  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨-‘મહાવીર-સ્તવન’, મુનિજ્ઞાનવિજય. સંદર્ભ : જૈગૂકવિઓ ૩(૨). [ર.ર.દ.]