ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બિહારીદાસ સંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બિહારીદાસ(સંત) [જ.ઈ.૧૭૪૮] : કચ્છના વાંઢાય ગામના વતની. જ્ઞાતિએ કચ્છ ભડિયાની ધલજાતિના રજપૂત. મૂળ નામ વેરોજી. પિતાનું નામ મેઘરાજ. દેવાસાહેબના શિષ્ય. દીક્ષા પછી ‘બિહારીદાસ’ નામ ધારણ કર્યું હતું. તેમણે હિંદી, ગુજરાતી તથા કચ્છીમાં પદ અને ભજન (કેટલાંક મુ.)ની રચના કરી છે. આ ઉપરાંત ‘કૃષ્ણબાલવિનોદ’, ‘ગુરુસ્તુતિ’ તથા ‘પ્રાસ્તાવિક કુંડળિયા’ કૃતિઓ પણ તેમણે રચી હોવાનું મનાય છે. કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬ (+સં.). સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૨, દુલેરાય કારાણી, સં. ૨૦૨૦; ૨. ગુસારસ્વતો.[કી.જો.]