ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુધરાજ-કચરાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બુધરાજ/કચરાય [ઈ.૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહઠ્ઠાના સંસ્કારવાળી અપભ્રંશસાધન ગુજરાતીમાં ‘મદન-રાસ/મદનયુદ્ધ’ (ર.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસુ સુદ ૧, શનિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ભૂલથી આ કૃતિને હિન્દી ગણે છે. આ કૃતિની ૨ હસ્તપ્રતમાં કર્તાનું નામ ‘કચરાય’ હોવાનો નિર્દેશ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]