ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવાનીદાસ-૩ [                ] : જોધાશિષ્ય ભવાનીદાસના નામે નિર્ગુણ ઉપાસનાનાં, ક્યારેક હિંદીમિશ્ર ગુજરાતીમાં ને રૂપકાત્મક વાણીનો આશ્રય લેતાં ૨૦ જેટલાં પદો(મુ.) મળે છે. ‘હરિજન લોકકવિઓ અને તેમનાં પદ’ આ ભવાનીદાસનો જન્મ ઈ.૧૨૭૯/સં.૧૩૩૫, ચૈત્ર સુદ ૧૫ નોંધે છે તેમ જ તેમનું વતન ધોળકા, પિતાનું નામ નારાયણ અને માતાનું નામ લક્ષ્મી બતાવે છે, પરંતુ એ હકીકતો માટેનો કોઈ નક્કર આધાર આપ્યો નથી. સંપાદક પાસે એ માહિતી જનશ્રુતિ પરથી આવી હોવાનું જણાય છે. કર્તાનો સમય આટલો જૂનો બતાવવામાં આવ્યો છે, પણ એમની કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ; પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજનસાગર : ૨; ૪. સંતવાણી; ૫. સોસંવાણી; ૬. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [શ્ર.ત્રિ.]