ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાઈશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાઈશંકર [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. લક્ષ્મી અને પાર્વતીના સંવાદ દ્વારા તેમની વચ્ચે થયેલી લડાઈને ચોપાઈ બંધમાં આલેખતી ‘લક્ષ્મી પાર્વતી-સંવાદ’(મુ.) કૃતિના કર્તા. લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવા જાય છે ત્યાં બંનેને પ્રાકૃત સ્ત્રીઓની જેમ ઝઘડતી બતાવાઈ છે. કૃતિમાં પાત્રોનું ગૌરવ સચવાયું નથી. કૃતિની ભાષામાં શિષ્ટતા પણ નથી. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. મસાપ્રકારો;  ૪. ડિકૅટલૉગબીજે. [કી.જો.]