ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુવિજ્ય [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ (ગોડી)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]