ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવવિજ્ય : આ નામે ૧૪ કડીનું ‘ચંદ્રપ્રભુજીનું સ્તવન’(મુ.), ૪ કડીનું હિંદીમાં ‘નેમિનાથજીનું સ્તવન’(મુ.) અને ‘પુંડરીકગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૭૦) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. દેસ્તસંગ્રહ; ૩. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]