ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર સૂરિ-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘ઇચ્છા-પરિણામ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]