ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજસાગર વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભોજસાગર (વાચક)-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્નશેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારપ્રદીપ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, જેઠ વદ ૧૯, મંગળવાર), ૧૩ કડીની ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ’(મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીનો ટીકા સહિતનો ‘દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર’(ર.ઈ.૧૭૪૨), ૧૮/૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા-સઝાય’ તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈઐકાસંચય-પ્રસ્તા. (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ગી.મુ.]