ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલધર્મ-જ્ઞાનરુચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંગલધર્મ/જ્ઞાનરુચિ [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[કી.જો.]