ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મણિવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ.ઈ.૧૭૧૯)ના શિષ્ય. ૧૭ ઢાળના ‘ચતુર્દશ-ગુણસ્થાનક-સઝાય/ચૌદગુણ સ્થાનકનું સ્તવન’ (મુ.), ૪૦ કડીના ‘વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ.) અને ૪૩ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ.)ના કર્તા. ‘ચૌદગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ ‘એકસો અઠ્ઠાવનકર્મપ્રકૃતિની સઝાય’ નામે પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭-‘શલોકાસંચયમાં વધારો’, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]