ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિશેખર વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિશેખર(વાચક)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]