ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલયચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મલયચંદ્ર-૧ [ઈ.૧૪૬૩માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવે છે. એટલે આ સિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે. કવિની ૩ કૃતિઓ તે ‘સિંહાસનબત્રીસી’ પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી, ‘સિંહાસનબત્રીસી/સિંધાસણ બત્રીસી-ચઉપઈ’ (ર.ઈ.૧૪૬૩; મુ.), રાજપુત્ર સિંહલસિંહના પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીની ‘સિંઘલસીચરિત્ર/ધનદત્તધનદેવચરિય/પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩; મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩). કૃતિ ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. પટેલ, ઈ.૧૯૭૦ (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩-‘મલયચંદ્રકૃત સિંધલસીચરિત્ર’, રણજિત પટેલ (અનામી) (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચી; ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]