ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુકચંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મલુકચંદ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે. કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]