ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનુભાવાનંદ સ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાનુભાવાનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત’ એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી હરીલાલનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.).[કી.જો.]