ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમામેરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહિમામેરુ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક સુખનિધાનના શિષ્ય. ‘નેમિરાજુલ-ફાગ’ના કર્તા. કવિ મહિમામેરુએ ઈ.૧૬૧૫માં પદ્મરાજકૃત ‘ચોવીસજિનકલ્યાણક-સ્તવન’ની પ્રત લખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓ’માં મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]