ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાહંસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહિમાહંસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સં.૧૮૫૬ જેઠ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર યાત્રાસમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાહંસ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[ર.ર.દ.]