ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસુંદર ગણિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણિક્યસુંદર(ગણિ)-૨ [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨).[ર.ર.દ.]