ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક-માણિક્ય મુનિ-સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણિક/માણિક્ય(મુનિ) (સૂરિ) : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ/સઝાય’ (મુ.), ફાગબદ્ધ ‘નેમિ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૦૭), ૧૩૫૦ કડીની ‘યશોધરચરિત્ર-સ્તબક’ (લે.ઈ.૧૭૪૨), ૧૮ કડીની ‘રાજિમતી ઉપાલંભ-સ્તુતિ’, ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૭૮૨), ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત/આશ કી વેણ’, ‘અમલવર્ધન/અફિણ-સઝાય’, ‘નવતત્ત્વપ્રકરણ-વાર્તિક’ (ર.ઈ.૧૭૭૧) તથા ૮ કડીની ‘ચોવીશ તીર્થંકરની આરતી’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સમજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]