ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-માધવદાસ-માધોદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવ/માધવદાસ/માધોદાસ : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. સંદર્ભ  : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.; કી.જો.]