ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ ઋષિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવ(ઋષિ)-૩ [                ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ લાગે છે. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. સંતસમાજભજનાવળી : ૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. [ર.સો.]