ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવિજ્ય-૫ [ઈ.૧૬૮૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩. ઢાળની ‘દસ ચંદરવાની સઝાય’ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, બુધવાર; મુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં શાંતિવિજ્યશિષ્ય માનવિજ્યને નામે નોંધાયેલી ‘ચંદ્રુઆ-સઝાય’ આ માનવિજ્યની હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]