ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવિજ્ય-૬ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના રાજ્યકાળમાં ગુણવિજ્યના શિષ્ય. ૩. ઢાળ ને ૪૮ કડીનું ‘અષ્ટકર્મ-સ્તવન’(ર.ઈ.૧૭૨૨; મુ.) તથા ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘અષ્ટકર્મ સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]