માવા(ભક્ત)-૨/માવજી [ ] : ૮ કડીનાં ૮ ભજનો(મુ.)ના કર્તા. માવજીને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શક્યતા છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.