ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માવજી-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માવજી-૩ [                ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.] માવા-૧/માવજી [ઈ.૧૫૩૧માં હયાત] : ૫૧ કડીની ‘વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧/૧૫૮૭, આસો સુદ ૧૩; મુ)ના કર્તા. કૃતિ : સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માવા-માવજી રચિત વૈષ્ણવ ભક્ત પ્રબંધચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક. [શ્ર.ત્રિ.]