ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુકુન્દ-૪ [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]