ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો રાસ(શીલવિષય)/પ્રબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) વસ્તુત: મુનિસુંદરશિષ્યનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ’ તથા ‘નેમ-ચરિત્ર/નેમિ-સ્તવન’ એ કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુકવિઓ; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ડિકૅટલૉગભાવિ; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]