ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘરાજ-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી દલોસાહ. માતા સાંમા. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૭૪) અને ૯ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૮૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]