ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતી-મોતીરામ
Jump to navigation
Jump to search
મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ એ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
મોતીરામ જતિને નામે ‘ષટપંચાશિકા’ નામની કૃતિ મળે છે. તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [ર.સો.]