ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતી-મોતીરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ એ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોતીરામ જતિને નામે ‘ષટપંચાશિકા’ નામની કૃતિ મળે છે. તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [ર.સો.]