ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોલ્હક-મોલ્હા-મોહન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોલ્હક/મોલ્હા/મોહન [ઈ.૧૬૦૬માં હયાત] : જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય. ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, બીજો ચૈત્ર વદ ૧૧), ૩૨ કડીના ‘લોકનાાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપરના બાલાવબોધ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં મોહન(માલ્હ)ને નામે નોંધાયેલ ‘અનુયોગ દ્વારસૂત્ર’ પરના બાલાવબોધના કર્તા પણ આ કવિ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]