ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોહન-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : અવટંકે ભટ્ટ. રામકબીર સંપ્રદાયના સંતકવિ. સંત પદ્મનાભના ચરિત્રનો ઇતિહાસ આપતું ૨૮ કડવાંનું ‘પદ્મનાભ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, કારતક સુદ ૧૫, ગુરુવાર; મુ.) અને ‘પદમવાડીનું વર્ણન’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૫, રવિવાર; મુ.)-એ કૃતિઓના કર્તા. કૃતિ : જીવણવાણી, આસો-કારતક ૨૦૩૩-૩૪-‘ભગવાન પદ્મનાભ ચરિત્ર’, ‘પદમવાડીનું વર્ણન’, સં. ભક્ત જગમોહનભાઈ શામળભાઈ. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [કી.જો.]