ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગવિજય: આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ-લાવણી’ (ર.ઈ.૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ-., મુ.) ‘વૈરાગ્યસઝાય’ (લે. ઈ.૧૭૬૦), સં. ૧૮૫૨, ચૈત્ર વદ ૨, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપતું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩., મુ.), ૨૩/૨૪ કડીની ‘નેમિજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ.૧૮૦૭), ‘ગહૂંલી’ (લે. ઈ.૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઈ.૧૮૧૩/૧૫), ૯ કડીનું ‘આદિજન-સ્તવન’, ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું નેમજીને લગતું પદ(મુ.), ૯ કડીની ‘પંચમારકસક્લસંઘ પરિમાણ-સઝાય’, ૫ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.) અને ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩., ૨. જિસ્તકાસંદોહ: ૨., ૩. જૈકાપ્રકાશ : ૧., ૪. જૈકાસંગ્રહ., ૫. જૈપ્રપુસ્તક : ૧., ૬. જૈરસંગ્રહ., ૭. દેસ્તસંગ્રહ.,  ૮. જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯-‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ: ૧. દેસુરાસમાળા.,  ૨. મુપુગૂહસૂચી., ૩. લીંહસૂચી., ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]