ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુપતિ-રૂપવલ્લભ-રૂઘનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રઘુપતિ/રૂપવલ્લભ/રૂઘનાથ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાનિધાનના શિષ્ય. એમની કૃતિઓ આ પ્રમાણે મળે છે : ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૭), ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, પ્રથમ ભાદરવા સુદ ૧૩), ૨૫૦ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩/સં.૧૮૧૯, નેમિજન્મદિન), ૫૪૦ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ફાગણ-૪, શનિવાર), ૬૨ કડીની ‘જૈનસાર-બાવની’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, માગશર સુદ ૧૫), ૫૮ કડીની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૭૬૯), ૫૭ કડીની ‘કુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૭૯૨), ૪૨ કડીની ‘અક્ષર-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૬), ૩૭ કડીની ‘ઉપદેશ-બત્રીસી’, ‘સગુણ-બત્રીસી’, ‘કરણી-છંદ’, ‘ગોડી-છંદ’, ૩૬ કડીનો ‘જિનદત્તસૂરિ-છંદ’, ‘વિમલજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, માગશર સુદ ૧૩), ‘(ગોડી) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૯૭૨, વૈશાખ-), ૩૨ કડીની ‘દોષગર્ભિત-સ્તવન’, ‘(બીકાનેર)શાંતિ-સ્તવન’ તથા ‘ગોચરીના દોષનું સ્તવન’, ૫૮ કડીની ‘ઋષિપંચમી’, ‘ઉપદેશ-પચીસી’, સવૈયાબદ્ધ ‘ચોવીસજિન-સવૈયા’(મુ.), હિંદીમાં ‘દાદાસાહેબ/જિનકુશળસૂરિકવિ’(મુ.) વગેરે. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. સ્નાત્રપૂજા, દાદા સાહેબપૂજા તથા ઘંટાકર્ણવીરપૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]