ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રઘુરામ : આ નામે ‘પંદર-તિથિઓ’, ‘સાત-વાર’, ‘વનપર્વ’ (લે.ઈ.૧૮૪૯) તથા વેદાંતનાં પદ મળે છે. તેમના કર્તા કયા રઘુરામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ; ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૦-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ;  ૫. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]