ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-રણછોડદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રણછોડ/રણછોડદાસ : આ નામે ‘અર્જુન-ગીતા’, ‘રાસભાગવત’ (લે.ઈ.૧૬૭૭), ‘સલસખનપુરીનો ગરબો’ (લે.ઈ.૧૮૪૫), ‘રાસપંચાધ્યાયી’(મુ.), ‘કૃષ્ણજીનના મહિના’(મુ.), ‘રણછોડજીનો ગરબો’ (ર.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, આસો વદ ૮, રવિવાર; મુ.) તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. એ કૃતિઓના કર્તા કયા રણછોડ/રણછોડદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી. [ચ.શે.]]