ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનદાસ-રત્નસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રતનદાસ/રત્નસિંહ [ઈ.૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ. વાંકાનેરના વતની. જ્ઞાતિએ રજપૂત. ભાણસાહેબ (ઈ.૧૬૯૮-૧૭૫૫)ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૨૦ કડીનું ‘ચેલૈયા સગાળશા-આખ્યાન/કેલૈયાનો શલોકો’(મુ.), આત્મબોધનાં પદ તથા અન્ય ગુજરાતી-હિન્દી પદોની રચના એમણે કરી છે. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧૩, સં. પુરુષોત્તમ સોલંકી, ઈ.૧૯૭૦; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃકાદોહન : ૫; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક;  ૫. સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ ઈ.૧૯૮૨;  ૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [ચ.શે.]