ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનીબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રતનીબાઈ [           ] : હરિજન સ્ત્રીકવિ. તેઓ નરસિંહ મહેતાનાં શિષ્ય હતાં એમ કહેવાય છે, પરંતુ એ માટે કોઈ આાધાર નથી. તેમનાં કૃષ્ણભક્તિનાં ૪ પદ(મુ.) મળે છે, તેમાં ૩ પદ નરસિંહ મહેતાનાં જીવનમાં બનેલા કહેવાતા હારપ્રસંગને લગતાં છે. કૃતિ : ૧. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ચ.શે.]