ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકુશલ ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નકુશલ(ગણિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : જૈન સાધુ. પંડિત મેહર્ષિગણિની પરંપરામાં દામા/દામર્ષિના શિષ્ય. ૨૦ કડીની ‘પાર્શ્વનાથસંખ્યા-સ્તવન/પાર્શ્વનાથાવલી’ (મુ.)ના કર્તા. કવિએ ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૫, રવિવારના રોજ ‘પંચાશકવૃત્તિ’ની હસ્તપ્રત લખ્યાનું જાણવા મળે છે તે ઉપરથી તેઓ આ આરસામાં હયાત હોવાનું સમજાય છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. સૂર્યપૂર-રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]