ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નો ભગત-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નો(ભગત)-૨ [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), ‘બ્રહ્મવિલાસ’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ.), ‘ગોપીગોવિંદની ગોઠડી’ (ર.ઈ.૧૮૬૧/સં.૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ.), ૨૧ કડીની ‘તિથિ’, રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુશાઈ હિન્દીમાં ને કચ્છીમાં પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે. કૃતિ : ૧. રતના ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. (બીજી આ.), ઈ.૧૯૨૭; ૨. ભજનસાગર : ૨; ૩. ભસાસિંધુ (+સં.). [ચ.શે.]